॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૩૯: વિશલ્યકરણી ઓષધિનું

મહિમા

તા. ૧૬/૧/૧૯૭૧. યોગીજી મહારાજના ધામગમનને અઠવાડિયાની વાર. આ દિવસે વહેલી સવારે ઊઠ્યા પછી તેઓએ એકાએક કહ્યું, “વચનામૃત વાંચો.” તેથી સેવકે આ વચનામૃત ગઢડા અંત્ય ૩૯ નિયમ મુજબ વાંચ્યું. ખૂબ પ્રેમથી યોગીજી મહારાજ તે સાંભળતા હતા. જ્યાં મુદ્દાની વાત આવે ત્યાં હાથનું લટકું પણ કરતાં જાય. પછી અડધેથી જ ‘ઇતિ વચનામૃતમ્’ કહીને પોઢી ગયા. ત્યારબાદ ધામગમનના દિવસ સુધી તેઓને વચનામૃત સાંભળવાનો અવકાશ આવ્યો નહીં. એ રીતે યોગીજી મહારાજનો સંસ્પર્શ પામેલું આ છેલ્લું વચનામૃત. પોતાના સમગ્ર જીવન દરમ્યાન વચનામૃતનાં નિરૂપણો કરી અલૌકિક રસલહાણ કરાવતાં રહેલા યોગીજી મહારાજે છેલ્લે જો કોઈ વચનામૃત સાંભળ્યું હોય તો તે આ વચનામૃત ગઢડા અંત્ય ૩૯મું છે.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૫૩૯]

16 January 1971, Gondal. A week prior to Yogiji Mahārāj passing away to dhām, he woke up in the early morning and suddenly said, “Read a Vachanāmrut.”

The attendant sadhu recited Vachanāmrut Gadhadā III-39 as per the daily reading. Yogiji Mahārāj listened affectionately, while doing hand gestures at important phrases within the Vachanāmrut. Halfway through the Vachanāmrut, he suddenly said, “Iti Vachanāmrutam” and went back to sleep. Thereafter, no opportunity came for him to listen to the Vachanāmrut before he passed away to dhām. Therefore this is Yogiji Mahārāj’s sanctified Vachanāmrut. Throughout his entire life, he had narrated and discoursed on many Vachanāmruts, giving divine joy to all, but the last Vachanāmrut he listened to was Gadhadā III-39.

[Brahmaswarup Yogiji Mahārāj: 6/539]

મહિમા

યોગીજી મહારાજ કહે, “ચાર પ્રકારની ઔષધિ છે; સંધિની, વર્ણહરણી, વિશલ્યકરણી અને સંજીવની. તેનાં ચાર સ્વરૂપ: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. તેનાં ચાર વચનામૃત (અનુક્રમે): ગઢડા મધ્ય ૨૮, લોયા ૭, અંત્ય ૩૯ અને મધ્ય ૧૦; આ ચાર વચનામૃતો સિદ્ધ કરવા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૬૦૦]

Yogiji Mahārāj said, “There are four types of auṣhadhi (herbal medicines): sandhinī, varṇaharaṇī, vishalyakarṇī and sanjīvanī. Their four forms: dharma, gnān, vairāgya and bhakti. The four respective Vachanāmruts: Gadhadā II-28, Loyā 7, Gadhadā III-39 and Gadhadā II-10; these four Vachanāmruts should be perfected.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/600]

નિરૂપણ

ઑગસ્ટ, ૧૯૫૯, મુંબઈ. યોગીજી મહારાજ કહે, “આત્મા-પરમાત્માનું જ્ઞાન શું? અંત્ય ૩૯ પ્રમાણે આત્મા અને પરમાત્માનું સંલગ્ન જ્ઞાન જેને હોય, તે જ સત્સંગી. આવી રીતનો જે સત્સંગી થયો હોય તો મોળો પડે જ નહીં. તેને દેહ ઉપર આધાર ન હોય. એક જ્ઞાન જે ભગવાન, તે ઉપર જ આધાર હોય. એ જ્ઞાનની સ્થિતિ, કોઈ પાત્ર બને તો આજે પણ મોટાપુરુષ એવું જ્ઞાન તેને આપે...

“ચાર પ્રકારની ઔષધિ છે: સંધિની, વર્ણહરણી, વિશલ્યકરણી અને સંજીવની. તેનાં ચાર સ્વરૂપ: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને ભક્તિ. તેના ચાર વચનામૃત: ગ. મ. ૨૮, લો. ૭, છે. ૩૯ અને મ. ૧૦; આ ચાર વચનામૃતો સિદ્ધ કરવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૬૦૦]

August 1959, Mumbai. Yogiji Mahārāj said, “What is the knowledge of ātmā and Paramātmā? According to Gadhadā III-39, a true satsangi is one who understands the knowledge of both ātmā and Paramātmā. One who has reinforced their status as a satsangi in this manner will never fall back. Such a satsangi never depends on his body; rather one remains dependent only on God. If one becomes worthy, the great Purush would give that knowledge and help one to attain that state of understanding.

“There are four types of herbal medicines: sandhini, varnaharni, vishalyakarani, and sanjivani. Their four forms: dharma, gnān, vairāgya and bhakti. The four Vachanāmruts relating to these are Gadhadā II-28, Loyā 7, Gadhadā III-39 and Gadhadā II-10 respectively; these four Vachanāmruts should be perfected.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/600]

નિરૂપણ

યોગીજી મહારાજ કહે, “આ જીવને મૂઆ સુધી આ લોકના જ મનસૂબા છે, તે મૂકવા અને પરલોકના કરવા. પરલોકના મનસૂબા એટલે શું? અક્ષરધામમાં જવું છે અને આ લોકમાં નથી રહેવું, એવું અખંડ અનુસંધાન રાખવું; અને આત્મા અને પરમાત્મા એ બે વાત જ રાખવી અને વચનામૃત છેલ્લાના ૩૯ પ્રમાણે એ બે વાતનો વેગ લગાડી દેવો. એમ વેગ લગાડી દઈએ તો અંતર બદલાઈ જાય, પણ એવો વેગ તો સમાગમ અને મહિમાથી લાગે.”

[યોગીવાણી: ૬/૧૩]

Yogiji Mahārāj said, “This jiva harbors worldly desires until its final moments. One should forsake these desires and desire only the divine abode. What does it mean to desire only the divine abode? Constant awareness that I want to attain Akshardhām and not stay in this world. In addition, remain aware of ātmā and Paramātmā. According to Vachanāmrut Gadhadā III-39, one should should be passionate of these two in such a way that one transforms internally; however, such passion can only arise from staying in the company of the Satpurush and understanding his greatness.”

[Yogi Vani: 6/13]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase